બે દીકરી ની માતાએ ડાબા હાથની હથેળીમાં સુસાઇડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.., સુસાઇડ નોટમાં એવું લખ્યું કે “મેં જીના ચાહતી હુ પરંતુ…..

છેલ્લા કેટલાક દિવસોથી જીવ ટકાવવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક એવી ઘટના આપણી સામે આવી છે સુરતના લિંબાઈલ વિસ્તારની અંદર આવેલા પર્વત પાટિયા ગામ વિસ્તારની અંદર એક મહિલાએ પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું. મહિલાએ મૃત્યુ પહેલા પોતાના ડાબા હાથ ઉપર હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી અને ત્યાર પછી ખાઈને પોતાનું જીવન ટુંકાવી નાખ્યું હતું.
મહિલાના મૃત્યુને કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને હાથ ઉપર લખેલી સુસાઇડ નોટ ઉપરથી એવી જાણકારી સામે મળી રહી છે કે, મહિલાએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને આ પ્રકારનું પગલું ભરી લીધું છે અને આ ઘટનાને મહિલાના પરિવારના લોકોએ પણ પતિની સામે ફરિયાદ દાખલ કરાવી દીધી છે. સમગ્ર ઘટનાને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે
પતિના ત્રાસથી મહિલા એટલી બધી કંટાળી ગઈ હતી કે પહેલા મૃત્યુ પહેલા પોતાના ડાબા હાથના હથેળી ઉપર સુસાઇડ નોટ લખી હતી. સીતાના લગ્ન રીતિ રિવાજ પ્રમાણે 2014માં પ્રવીણ છોટુ નાથ ગોસ્વામી સાથે થયા હતા તેમજ લગ્ન ગાળા દરમિયાન દંપતિએ સંતાનમાં એક દીકરો અને દીકરી છે. પ્રવીણ ગોસ્વામી રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હતો અને સીતાના મૃત્યુને કારણે બે બાળકોએ પોતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે લગ્નના ત્રણ વર્ષ બાદ પ્રવીણ પોતાની પત્નીને હેરાન કરતો હતો અને 2018માં સીતાએ પોતાની માતા અને ભાઈને પતિના ત્રાસ વિશે પણ જણાવ્યું હતું. તેથી માતા અને ભાઈને તેની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યા હતા અને પ્રવીણ ગોસ્વામી એ તેની પત્નીને કહ્યું હતું કે તું તારા ભાઈ અને માતાને અહીંયા કેમ બોલાવે છે આવું કહીને તેની સાથે માથાકૂટ કરી હતી અને રાત્રિના સમયે બંનેને ઘરમાંથી કાઢી મુક્યા હતા
વર્ષ 2022 ના પતિના ત્રાસથી કંટાળીને સીતાએ પોતાના બાળકોને લઈને પોતાના પિયર જતી રહી હતી અને એકાદ મહિના બાદ પ્રવીણ સુરત રહેવા માટે આવ્યો હતો અને પોતાના શાળાની સાથે ઝઘડો કર્યો હતો. પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ની અંદર હાજર થઈને અરજી આપી હતી. અરજી આપતા પતિ વતન ગયો હતો અને પોતાની પત્ની સાથે સમાધાન કર્યું હતું તેમાંથી ત્યાર પછી પોતાની પત્ની અને બે બાળકોને લઈને સુરત આવ્યો હતો
અહીં આવ્યા બાદ ફરી એક વખત પ્રવીણ પોતાની પત્નીને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને પ્રવીણ પોતાની પત્ની સીતાને સર્જરી કરીને માનસિક રીતે ત્રાસ આપતો હતો તેમાં આખરે પોતાના પતિના ત્રાસથી કંટાળીને સિતા એ ગત 24 જાન્યુઆરી રોજ ઘરની અંદર પોતાના જીવન ટૂંકાવ્યું હતું.
મૃત્યુ પહેલા તેમને પોતાના ડાબા હાથ ઉપર સુસાઇડ નોટ લખી હતી અને તેમાં લખ્યું હતું કે મુજે મેરા પતિ બહુ પરેશાન કરતા હૈ મેરી કોઈ ગલતી નહીં હૈ, મેતો ઓર જીના ચાહતી હું ઇતના પરેશાની મેં કેસે જીયુંગી. મેરા પતી મુજે બદનામ કરતા હે મેરી પતિ ગલત હે મુજે બરબાદ કરના ચાહતા હે મેરા જમાઈ ઓર સસુર જી કી કોઈ ગલતી નહી હે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.