ઘરકામ માટે રાખ્યો હતો નોકર, કરોડપતિ માલકીનને થયો નોકર સાથે અનહદ પ્રેમ…, પછી નોકર અને માલકીને કર્યું એવું કે..

પ્રેમ તો આંધળો હોય છે. પ્રેમ માં પાગલ વ્યક્તિ કંઈ પણ કરી બેસતો હોય છે. આપણી સામે એવા ઘણા કિસ્સાઓ અવારનવાર આવી ચૂક્યા છે કે જેમાં, કરોડપતિ ઘરની મહિલાઓ સામાન્ય વ્યક્તિને પણ પ્રેમ કરી બેસતી હોય છે. આવી જે ઘટના આજે આપણી સામે આવી છે. આ ઘટના વિશે વાત કરવામાં આવે તો, નાઝીયા નામની મહિલા છે. જે કોઈ સેલિબ્રિટી અથવા તો કોઈ લોકપ્રિય વ્યક્તિ નથી. પરંતુ તેની પ્રેમ કહાની આજે દુનિયાભર ની અંદર ચર્ચા રહી છે
નાઝીયા એ થોડા સમય પહેલા જ પોતાના નોકરની સાથે લગ્ન કર્યા છે અને તેને પોતાની પ્રેમ કહાની આખી દુનિયાની સામે વર્ણવી છે. પાકિસ્તાનમાં રહેતી નાઝિયા નામની આ મહિલા પોતાની પ્રેમ કહાની કહેતા જણાવે છે કે, હું ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં રહું છું. થોડા સમય પહેલા ઘરની અંદર કામકાજ કરવા માટે એક નોકર રાખ્યો હતો તેનું નામ સુફિયાન હતું. નાઝીયા એ જણાવ્યું હતું કે તે ઘરની અંદર એકલી હતી અને ઘરની અંદર કોઈ પોતાનું કહી શકાય તેવું હતું નહીં.
એના માટે ખૂબ જ વિશ્વાસુ નોકરની શોધમાં લાગી ગઈ હતી, તેમના કોઈ મિત્ર દ્વારા સુફિયાન નું નામ સજેસ્ટ કરવામાં આવ્યો હતું. તેણે સુફિયાનને કામ પર રાખ્યો હતો અને દર મહિને 18000 રૂપિયા પગાર પણ આપતી હતી. નાઝિયાં એ જણાવ્યું હતું કે સુફિયાના જેટલા પણ વખાણ કરે તેટલા ઓછા પડે છે. થોડા સમયમાં જ તેને કામમાં સુફિયાની આદત થઈ ગઈ હતી. અને તેની સાદગી અને તેનો વ્યવહાર અને સ્વભાવ તેને ગમી ગયો હતો
આ વાતને કારણે ધીમે ધીમે મહિલા પોતાના નોકરની સાથે પ્રેમ કરવા લાગી હતી અને થોડા સમય બાદ નાઝીયા એ પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. એક દિવસ સુફિયાન ને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું, આ મહિલા આગળ જણાવતા જણાવે છે કે, નાઝીયાં એક દિવસ હિંમત કરીને તેણે પોતાના નોકર સુફિયાન ને પ્રપોઝ કર્યો હતો તો તેને પહેલા વિશ્વાસ જ ના થયો.
તે પ્રપોઝલ સાંભળીને પણ ચમકી ગયો હતો અને આંચકો લાગ્યો હતો. થોડા મિનિટ પછી તેને પણ આઇ લવ યુ ટુ કહ્યું હતું અને બંને એકબીજાની સાથે લગ્ન કર્યા હતા. નાઝિયા પોતાના પતિ સુફિયાની સાથે ખૂબ જ વધારે ખુશ છે અને નાઝિયાના મતે તેનો પછી તેને ખૂબ જ વધારે ધ્યાન રાખે છે અને નાઝિયા પોતાના પતિ સુફિયાનને સલમાન ખાન ગણાવે છે અને પોતાને કેટરીના કેફ ગણાવે છે
વધુમાં આ મહિલાએ જણાવ્યું હતું કે પરિવારે લગ્નનો ઘણો બધો વિરોધ કર્યો હતો પરંતુ અમે લોકો મક્કમ રહ્યા હતા અને સુફિયાન નો સાથ મેં છોડ્યો ન હતો અને પરિવારના વિરોધની વચ્ચે પણ તેની સાથે નિકાહ કર્યા હતા અને હવે જીવનની અંદર બધું બરાબર રીતે ચાલે છે. તેઓ પોતાના જીવનની અંદર ખૂબ જ વધારે ખુશ છે તેવું જણાવ્યું
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.